વાંચો 100 સામાન્ય જ્ઞાન (General Knowledge)ના પ્રશ્નો તેના જવાબો (General Knowledge Gujarati: Top 100 GK Questions with Answers) વિવરણ સાથે. આ તમામ પ્રશ્નો GPSC, ક્લાર્ક, PSI, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ અને સરકારી નોકરી માટેની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ મહત્વપૂર્ણ છે. સાથોસાથ ફ્રિમાં ડાઉનલોડ કરો General Knowledge Gujarati ના Top 100 GK Questions with Answersની PDF.
General Knowledge Gujarati : સામાન્ય જ્ઞાનના 100 પ્રશ્નો
1. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે?
ઉત્તર: ભૂજ
- હમીરસર તળાવ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં આવેલું ઐતિહાસિક તળાવ છે.
- હમીરસર તળાવ 450 વર્ષ જુનું તળાવ છે.
- હમીરસર તળાવનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક રાઓ હમીરના નામ પરથી રાખવામાં આવ્યું છે.
- હમીરસર તળાવનું બાંધકામ રાઓ ખેંગારજી પ્રથમના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. રાઓ ખેંગારજીએ આ તળાવનું નામ તેમના પિતા હમીર પરથી હમીરસર તળાવ રાખ્યું હતું.
2. ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કર કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી?
ઉત્તર: મીઠાનો કર
3. ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે?
ઉત્તર: વૌઠા
- વૌઠા ગામ પાસે સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીઓનો સંગમ થાય છે, આથી તેને સપ્તસંગમ કહેવાય છે.
- દર વર્ષે વૌઠામાં ખુબ જ મોટો અને પ્રસિધ્ધ ‘વૌઠાનો મેળો’ કારતક સુદ અગીયારસથી કારતક સુદ પુનમ એમ પાંચ દિવસ સુધી ભરાય છે.
4. ગુજરાતમાં સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે?
ઉત્તર: ધુવારણ
- ધુવારણ તાપ વિદ્યુત મથક (Dhuvaran Thermal Power Station) એક ખનીજ તેલ અને વાયુ બળતણ આધારિત વીજ ઊર્જા ઉત્પાદન કરતું એકમ (Power Plant) છે.
- ધુવારણ તાપ વિદ્યુત મથક આણંદ જિલ્લામાં આવેલું છે.
5. ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
ઉત્તર: નર્મદા
6. ગુજરાતનાં મધ્યભાગમાંથી કયું વૃત્ત પ્રસાર થાય છે?
ઉત્તર: કર્કવૃત્ત
- કર્કવૃત્ત (Tropic of Cancer) એ પૃથ્વી પર પશ્ચિમથી પૂર્વ તરફ દોરેલી એક કાલ્પનિક રેખા છે, જે ઉત્તરી ગોળાર્ધમાં વિષુવવૃત્તની સમાંતર 23°26′22″N પર બનાવવામાં આવેલ છે.
- કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે.
7. ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે?
ઉત્તર: પવિત્ર ઇરાનશો ફાયર ટેમ્પલ
- ઉદવાડા વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલું પારસીઓનું પવિત્ર સ્થાળ છે.
- ઉદવાડામાં આવેલ પારસી અગિયારી વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે.
- ઉદવાડામાં ઇરાનથી આવેલા પારસીઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ (આતશબહેરામ)ની સ્થાપના કરી હતી.
8. ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે?
ઉત્તર: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (Sardar Vallabhbhai Patel International Airport-(AMD)
9. ગુજરાતના કયા મેળામાં ઊંટનું વેચાણ થાય છે?
ઉત્તર: કાત્યોકનો મેળો
- ગુજરાતના સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાના મેળાને કાત્યોકનો મેળો કહેવામાં આવે છે.
10. દુધસાગર ડેરી ક્યાં આવેલી છે?
ઉત્તર: મહેસાણા
11. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB)નું વડું મથક ક્યાં આવેલું છે?
ઉત્તર: આણંદ
- National Dairy Development Board (NDDB)ની સ્થાપના ડૉ. વર્ગીસ કુરિયન દ્વારા ૧૯૬૫માં કરવામાં આવી હતી.
12. સમાજસેવક અને દેશભક્ત શ્રી રવિશંકર મહારાજને કયું ઉપનામ મળ્યું હતું?
ઉત્તર: મૂઠી ઊંચેરો માનવી
- રવિશંકર વ્યાસનો જન્મ 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પિતાંબર શિવરામ વ્યાસ અને માતાનું નામ નાથીબા હતું.
- રવિશંકર વ્યાસ તેમના સમાજ ઉપયોગી કાર્યોને લીધે પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.
- રવિશંકર મહારાજને મુઠ્ઠી ઊંચેરો માનવી, મૂક સેવક, કરોડપતિ ભિખારી, સતત ચાલતા રહેલા સાચા સંત, ગુજરાતના બીજા ગાંધી વગેરે ઉપનામોથી નવાજવામાં આવ્યા છે.
13. ગુજરાતમાં દીપડા અને સાબર માટે પ્રસિદ્ધ બરડીપાડા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર: ડાંગ
14. રીંછ માટે પ્રસિદ્ધ રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર: દાહોદ જિલ્લો (ધાનપુર તાલુકો)
- ગુજરાતમાં રીંછોના સંરક્ષણ માટે રતનમહાલ વન્ય જીવ અભયારણ્ય ઉઅપરાંત જેસોર રીંછ અભયારણ્ય અને બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય પણ આવેલા છે.
15. ગુજરાતમાં સૌથી ઊંચુ પર્વત શિખર કયું છે?
ઉત્તર: ગોરખનાથનું શિખર, ગિરનાર
- ગુજરાતમાં સૌથી ઊંચું પર્વત શિખર ગિરનાર પર્વતની ગોરખનાથ ટુંક છે.
- ગોરખનાથ ટુંકની ઊંચાઈ 1116.9 મીટર છે.
16. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે?
ઉત્તર: અમદાવાદ રેલવે સ્ટેશન
- અમદાવાદ રેલવે સ્ટેશન, ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે.
17. ગુજરાત રાજ્યની સરહદ કયા દેશને સ્પર્શે છે?
ઉત્તર: પાકિસ્તાન
- ગુજરાત રાજ્યની ઉત્તર-પશ્ચિમ સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે.
18. ગુજરાત માટે “ગૂર્જર દેશ” એ શબ્દપ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો?
ઉત્તર: મૂળરાજ સોલંકી
- મુળરાજ સોલંકી “ગુર્જર”કહેવાતા હતા. તેમણે તેમના રાજ્યનો વિસ્તાર કરતા તે મોટું રાજ્ય બન્યુ, જેને ગુર્જર દેશ કહેવાતો હતો. જે પાછળથી ગુજરાતના નામે પ્રસિદ્ધ થયું.
19. ગુજરાત પ્રાચીન ઈતિહાસમાં ‘આનર્ત પ્રદેશ’, ‘ચમત્કારપુર’, ‘આનંદનગર’ વગેરે નામથી ઓળખાતો પ્રદેશ વર્તમાનમાં ક્યા નામથી ઓળખાય છે?
ઉત્તર: વડનગર
- શયાર્તિના પુત્ર આનર્તએ પોતાની રાજધાની ઉત્તર ગુજરાતના પ્રદેશમાં સ્થાપિત કરી હતી. આ પ્રદેશ આનર્તના નામ પરથી ‘આનર્ત પ્રદેશ’ તરીકે ઓળખાતો હતો.
20. ગુજરાતનું સૌપ્રથમ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર (Nature Education Center) ક્યાં આવેલું છે?
ઉત્તર: હિંગોળગઢ (જિલ્લો-રાજકોટ)
- હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય (Hingolgadh Nature Education Sanctuary)ને 1980 માં આરક્ષિત વન વિસ્તાર જાહેર કરવામાં આવ્યું હતું.
- હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય 654 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે.
- ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (Gujarat Ecological Education and Research - GEER) ફાઉન્ડેશન દ્વારા હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્યનું સંચાલન કરવામાં આવે છે.
- શાળાના બાળકોને વન્યજીવન સંરક્ષણ અને ઇકોસિસ્ટમના મહત્વ વિશે શિક્ષિત કરવા માટે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્યમાં નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
21. ગુજરાતની કઇ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે?
ઉત્તર: લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી
- 1956માં એલ ડી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી (L D Institute of Indology)ની સ્થાપના થઈ હતી.
- લાલભાઇ દલપતભાઇ ઈન્ડોલોજી અલભ્ય હસ્તપ્રતો અને કલાકૃતિઓને એકઠી કરીને સંરક્ષિત કરે છે.
- એલ ડી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ ખાતે આવેલી છે.
22. મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું?
ઉત્તર: રાજા ભીમદેવ પ્રથમ
- મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે ઈ.સ. 1026-1027માં કરાવ્યું હતું.
- મોઢેરાનું સૂર્યમંદિર તેની કોતરણી અને કળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
- મોઢેરાના સૂર્યમંદિરને ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.
23. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ક્યું છે?
ઉત્તર: સરદાર સરોવર
- સરદાર સરોવર ગુજરાત નું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે.
- સરદાર સરોવરનું નિર્માણ નર્મદા નદી પર કરવામાં આવ્યું છે.
24. અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
ઉત્તર: હરકુંવર શેઠાણી
- હરકુંવર શેઠાણી ગુજરાતનાં પ્રથમ મહિલા કેળવણીકાર, સ્ત્રી-ઉત્કર્ષનાં હિમાયતી અને સમાજસુધારક હતા.
- અમદાવાદના પ્રસિદ્ધ હઠીસિંગના દેરાંનું બાંધકામ ગર્ભશ્રીમંત વેપારી શેઠ હઠીસિંગના મૃત્યુ બાદ ફક્ત 26 વર્ષની વયે વિધવા બનેલ તેમનાં પત્ની હરકુંવર શેઠાણીએ પૂર્ણ કરાવ્યું હતું.
25. ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?
ઉત્તર: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની (GNFC)
- ભરુચમાં આવેલ Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited (GNFC) સરકારની માલીકીનુ PSU (Public Sector Undertaking) છે, જે ગુજરાત નુ સૌથી મોટુ ખાતર નું કારખાનુ છે.
26. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?
ઉત્તર: કંડલા બંદર
- કંડલા બંદર અરબ સાગરના કિનારે કચ્છના અખાતમાં આવેલું એક બંદર છે.
- આપણા દેશને આઝાદી મળતા અને ભારતનાં ભાગલા થતા કરાચી બંદર પાકિસ્તાનને ફાળે ગયું, આથી પશ્ચિમ ભારતનાં મહત્વનાં બંદર તરીકે ઇ. સ. 1950માં કંડલા બંદરની સ્થાપના કરવામાં આવી હતી.
- કંડલા બંદરની તમામ જમીનનો વહીવટ કંડલા પૉર્ટ ટ્રસ્ટ મારફતે કેન્દ્ર સરકાર હસ્તક છે.
27. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઇ છે?
ઉત્તર: સિવિલ હોસ્પિટલ અમદાવાદ
28. કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું?
ઉત્તર: સુલતાનોના ગ્રીષ્મકાલિન નિવાસ માટે
- કાંકરિયા તળાવ અમદાવાદનું સૌથી મોટું તળાવ છે.
- કાંકરિયા તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે.
- કાંકરિયા તળાવનું બાંધકામ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ 15મી સદીમાં કરાવ્યું હતું.
- તે સમયે કાંકરિયા તળાવ "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતું
29. ગુજરાતની સરહદ ક્યા સમુદ્ર સાથે જોડાયેલી છે?
ઉત્તર: અરબી સમુદ્ર
- ગુજરાતની પશ્ચિમ સરહદે અરબી સમુદ્ર આવેલો છે.
- ગુજરાત ભારતના રાજ્યોમાં સૌથી લાંબો દરિયા કિનારો (16 કિ.મી.) ધરાવે છે.
30. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
ઉત્તર: નર્મદા નદી
- નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે.
- નર્મદા નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.
- નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં આવેલ અમરકંટકની ટેકરીઓ છે.
- નર્મદા નદીને “રેવા”ના નામથી પણ ઓળખવામાં આવે છે.
31. ગુજરાતના કયા સ્થળે શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે?
ઉત્તર: નલિયા
- ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં જોવા મળે છે.
- નલિયા કચ્છ જિલ્લાના પાશ્ચિમમાં આવેલ અબડાસા તાલુકાનું તાલુકામથક છે.
- નલિયા શિયાળા દરમિયાન ગુજરાત રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ હોય છે, જ્યારે ઉનાળાની ઋતુમાં ગુજરાતના સૌથી ગરમ સ્થળોમાં પણ તેની ગણતરી થાય છે.
32. ભારતના વડાપ્રધાન બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?
ઉત્તર: મોરારજી દેસાઈ
- શ્રી મોરારજી દેસાઇનો જન્મ ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી 1896ના રોજ થયો હતો.
- શ્રી મોરારજી દેસાઈ છઠ્ઠી લોકસભા માટે માર્ચ, 1977માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની સૂરત બેઠક પરથી લોકસભામાં ચૂંટાઇને આવ્યા હતા.
- શ્રી મોરારજી દેસાઈ જનતા પાર્ટીના નેતાપદે સર્વાનુંમતે ચૂંટાતા 24 માર્ચ, 1977ના રોજ તેમણે ભારતના પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.
- શ્રી મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા હતા. તેઓ 24 માર્ચ 1977થી 28 જુલાઈ 1979 સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. (કાર્યકરી વડાપ્રધાન તરીકે રહેલા ગુલજારીલાલ નંદાને ગણવામાં આવ્યા નથી.)
33. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે?
ઉત્તર: ડાંગ
- ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે.
- વિશ્વમાં સૌથી વધુ વરસાદ મેઘાલયના માસિનરામમાં પડે છે.
34. સરદાર સરોવર બંધનું શિલારોપણ કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું?
ઉત્તર: પંડિત જવાહરલાલ નહેરુ
- સરદાર સરોવર બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડીયા નજીક આવેલા નવાગામ પાસે કરવામાં આવ્યું છે.
- ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 5 એપ્રિલ 1961ના રોજ આ સરદાર સરોવર પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો.
35. વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં કયા સ્થળે બને છે?
ઉત્તર: પાટણ
36. કયા ગુજરાતી કવિ 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખાય છે?
ઉત્તર: નર્મદ
- ગુજરાતી કવિ નર્મદને 'અર્વાચીનોમાં આદ્ય' અને 'વીર કવિ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
- કવિ નર્મદનું મૂળ નામ નર્મદાશંકર દવે હતું.
37. ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું છે?
ઉત્તર: ઝવેરચંદ મેઘાણી
- ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬[૧] માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો.
- ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક અને સંપાદક તેમજ વિવેચક અને અનુવાદક હતા.
- ઝવેરચંદ મેઘાણીને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
38. ચીની પ્રવાસી હ્યુ એન ત્સાંગે વલ્લભીના કયા રાજાના શાસન દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી?
ઉત્તર: ધ્રુવસેન બીજો
39. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?
ઉત્તર: કચ્છ
- વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે.
- કચ્છ જિલ્લો ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.
- ડાંગ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.
40. ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર: નાગભટ્ટ પ્રથમ
- નાગભટ્ટ પ્રથમે ઈ.સ. 757ની આસપાસ ભરૂચના ઉત્તર ભાગમાં પ્રતિહાર વંશની સ્થાપના કરી હતી.
- ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની ભિન્નમાલ હતી.
41. ગઝનીના શાસક સુલતાન મહમુદ ગઝનવીએ ક્યા રાજાના શાસનકાળ દરમિયાન સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું?
ઉત્તર: સોલંકી રાજા ભીમદેવ પ્રથમ
42. સિદ્ઘપુરનું પ્રાચીન નામ શું હતું?
ઉત્તર: શ્રીસ્થલ
- સિદ્ઘપુર માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ તીર્થસ્થાન છે.
43. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?
ઉત્તર: સૂર્ય
- તાપી નદીને તાપ્તી નદી અને સૂર્યપુત્રીના નામોથી ઓળખવામાં આવે છે.
- તાપી નદી મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લાના મુલતાઈમાંથી નીકળે છે અને સાતપુરા પર્વતમાળાઓમાંથી પશ્ચિમ તરફ વહે છે, ત્યારબાદ મહારાષ્ટ્રના ખાનદેશ ઉચ્ચપ્રદેશ અને સુરતના મેદાનોને પાર કરીને ગુજરાતમાં ખંભાતના અખાત (અરબી સમુદ્ર)માં ભળી જાય છે.
44. અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો?
ઉત્તર: કોચરબ આશ્રમ
- કોચરબ આશ્રમને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- કોચરબ આશ્રમની સ્થાપના કરવા માટે ગાંધીજીએ તે સમયે તેમના મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ પાસેથી અંદાજિત રૂ. 2 ના ભાડા પેટે આ જગ્યા લીધી હતી.
- 25 મે, 1915ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.
45. ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી?
ઉત્તર: પોર્ટુગીઝ
46. સોલંકી વંશના સમયગાળા દરમ્યાન સૌથી મહત્વપૂર્ણ જૈન કેન્દ્રોમાંના એક એવા “કુંભારિયાના દેરા” કોણે બંધાવ્યા હતા?
ઉત્તર: વિમલ શાહ
- વિમલ શાહ સોલંકી વશના શાસક ભીમદેવ પ્રથમના મંત્રી હતા.
- વિમલ શાહે બંધાવેલા જૈન દેરાસરો “વિમલ વસહિ” તરીકે ઓળખાય છે.
47. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી મૂળ વતન કયું છે?
ઉત્તર: ચોરવાડ
48. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?
ઉત્તર: વર્ષ 1928
- બારડોલી સત્યાગ્રહની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.
- બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ બદલ વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બીરૂદ આપવામાં આવ્યું હતું.
49. મીનળદેવીએ વિરમગામમાં બનાવડાવેલ તળાવનું નામ શું હતું?
ઉત્તર: મુનસર તળાવ
- સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી દ્વારા વીરમગામમાં મુનસર તળાવ બંધાવવામાં આવ્યું હતું.
50. પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી−મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું?
ઉત્તર: ભરૂચ
- પ્રાચીન સમયમાં ભરુચ બંદર “ભૃગુકચ્છ”તરીકે ઓળખાતું હતું.
51. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું?
ઉત્તર: ચંપારણ સત્યાગ્રહ
- મહાત્મા ગાંધીજીને 'બાપુ'નું બિરુદ ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું.
- ચંપારણ સત્યાગ્રહ મહાત્મા ગાંધી દ્વારા ભારતમાં કરવામાં આવેલ સૌપ્રથમ સત્યાગ્રહ હતો.
52. ગુજરાત રાજ્યની સ્થાપના પછી કયું શહેર ગુજરાતનું પ્રથમ પાટનગર બન્યું હતું?
ઉત્તર: અમદાવાદ
- ગુજરાત રાજ્યની સ્થાપના પછી અમદાવાદ શહેર ગુજરાતનું પ્રથમ પાટનગર બન્યું હતું.
- ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ હતી.
- ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા.
53. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?
ઉત્તર: કચ્છ
54. વડોદરા રાજ્યમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું?
ઉત્તર: ગાયકવાડ
- વડોદરા રાજ્ય પર ગાયકવાડ રાજવંશના મરાઠા રાજવીઓએ શાસન કર્યું હતું.
55. કયા રાજાને “ગુજરાતના અશોક” તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર: સોલંકી વંશના રાજા કુમારપાળ
- કુમારપાળ જૈન ધર્મના અનુયાઇ હતા. તેમના કલ્યાણકારી કાર્યોને લીધે તેમને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે.
56. ગુજરાતનું કયું શહેર 'મક્કાનું પ્રવેશદ્વાર' ગણાતું હતું?
ઉત્તર: સુરત
- મુઘલ કાળમાં મક્કા હજ કરવા જતા યાત્રીઓ માટે સુરત પ્રસિદ્ધ હતુ. તે સમયે સુરતને ‘મક્કાનું પ્રવેશદ્વાર’, ‘મક્કા બંદર‘, ‘બાબુલ મક્કા‘ અને ‘મક્કાબારી‘ વગેરે નામોથી ઓળખવામાં આવતું હતું.
57. ગુજરાતમાં વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો?
ઉત્તર: વિસલદેવ વાઘેલા
- સોલંકી વંશનો છેલ્લો રાજા ત્રિભુવનપાળ અપુત્ર હતો. આથી વીરધવલના પુત્ર વિસલદેવ વાઘેલાએ પાટણની ગાદી ત્રિભુવનપાળ પાસેથી લઈને પોતાને પાટણનો રાજા જાહેર કર્યો.
58. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોણે સ્થળાંતરીત કરી હતી?
ઉત્તર: સુલતાન અહમદશાહ પહેલો
- સુલતાન અહમદશાહે સાબરમતી નદીના કિનારે આશાવલની બાજુમાં અમદાવાદની સ્થાપના કરી હતી.
- સુલતાન અહમદશાહને ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો ખરો સ્થાપક માનવામાં આવે છે.
59. ભીલોના ઊત્કર્ષ માટે 1922માં "ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર: ઠક્કરબાપા
- ઠક્કરબાપાએ ભીલ સેવા મંડળની સ્થાપના 1922માં મીરાખેડી મુકામે ચાર બાળકોને દાખલ કરીને કરી હતી.
- ઠક્કર બાપાનું મૂળ નામ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર હતું. તેઓ “ઠક્કર બાપા”ના નામથી લોકપ્રિય બન્યા હતા.
60. ગાંધીજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો?
ઉત્તર: 2 ઓક્ટોબર, 1869માં પોરબંદર મુકામે થયો હતો.
- મોહનદાસ કરમચંદ ગાંધીના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી અને તેની માતાનું નામ પુતળીબાઈ હતું.
61. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?
ઉત્તર: 30 જાન્યુઆરી, 1948
- ગાંધીજીની હત્યા નવી દિલ્હીના બિરલા હાઉસ ખાતે નાથુરામ ગોડસેએ ત્રણ ગોળીઓ મારીને કરી હતી.
- ગાંધીજીનું સમાધિ સ્થળ “રાજઘાટ” છે, જે દિલ્લી ખાતે આવેલું છે.
62. મયૂરાસન માટે શાહજહાંને મોટી રકમ ધીરનાર અમદાવાદના નગરશેઠ કોણ હતા?
ઉત્તર: શાંતિદાસ ઝવેરી
- શાંતિદાસ ઝવેરી મુઘલ યુગના એક પ્રભાવશાળી ભારતીય ઝવેરી, શરાફ અને શાહુકાર હતા.
- શાંતિદાસ ઝવેરી 17મી સદી દરમિયાન અમદાવાદ શહેરમાં સૌથી ધનિક વેપારી હતા.
63. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે?
ઉત્તર: ધંધુકા
- હેમચંદ્રાચાર્ય સોલંકી યુગમાં થઇ ગયેલા જૈન મુનિ, વિદ્વાન, કવિ અને સાહિત્યકાર હતા.
- હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે.
- હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમકાલીન હતા.
- હેમચંદ્રાચાર્યનું જન્મનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું.
64. દાદા હરિની વાવ કયા શહેરમાં આવેલી છે?
ઉત્તર: અમદાવાદ
- દાદા હરિની વાવ અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી છે.
- દાદા હરિની વાવનું મૂળ નામ બાઈ હરિર વાવ હતું.
65. ગુજરાતના ઇતિહાસમાં કયા રાજવંશના શાસન કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે?
ઉત્તર: સોલંકી યુગ
66. જ્યાં ગાંધીજીનું બાળપણ વિત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો હતો?
ઉત્તર: રાજકોટ
- ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કબા ગાંધી તરીકે પ્રખ્યાત હતા. કબા ગાંધીના નામ પરથી તેમનું ઘર કબા ગાંધીનો ડેલો તરીકે ઓળખાતું હતું.
- કબા ગાંધીનો ડેલો રાજકોટ શહેરમાં આવેલું એક મકાન છે. આ ઘર 1881થી 1915 સુધી મહાત્મા ગાંધીના કુટુંબનું નિવાસ હતું.
67. કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા?
ઉત્તર: દેસાઇની પોળ, ખાડીયા
- અખા રહિયાદાસ સોની અખા ભગત અથવા અખો તરીકે વધુ પ્રસિદ્ધ છે.
- અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો.
- અમદાવાદના ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન આજે પણ "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.
68. અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર: અંબાલાલ સાકરલાલ દેસાઈ
- 1876માં અંબાલાલ સાકરલાલ દેસાઈએ અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કરી હતી.
69. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોને પસંદ કર્યા હતા?
ઉત્તર: અબ્બાસ તૈયબજી
- દાંડીકૂચ સત્યાગ્રહ 12 માર્ચ થી 6 એપ્રિલ 1030 દરમિયાન 24 દિવસ સુધી ચાલ્યો હતો.
- મહાત્મા ગાંધીએ પોતાના 78 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે દાંડીકૂચ સત્યાગ્રહની શરૂઆત કરી.
- દાંડીકૂચ સાબરમતી આશ્રમથી શરુ કરવામાં આવી હતી અને નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી હતી.
70. કયો મુઘલ સમ્રાટ ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?
ઉત્તર: ઔરંગઝેબ
71. મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ કયું છે?
ઉત્તર: નડિયાદ
- ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકનો જન્મ 22મી ફેબ્રુઆરી 1882ના રોજ નડિયાદમાં થયો હતો.
- ઈન્દુલાલ યાજ્ઞિક “ઈન્દુચાચા”નાં હુલામણા નામથી ઓળખાતાં હતા.
72. સાબરકાઠાં જિલ્લાની મુખ્ય નદી કઇ છે?
ઉત્તર: હાથમતી
- હાથમતી નદી સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી છે.
- હાથમતી નદી અરવલ્લીની પહાડીઓમાંથી નીકળે છે.
- હાથમતી નદી સાબરમતી નદીની ઉપનદી છે.
73. ટોલ્સટોયના કયા પુસ્તકની ગાંધીજીના જીવન પર ઊંડી છાપ પડી હતી?
ઉત્તર: અનટુ ધી લાસ્ટ
74. મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું?
ઉત્તર: ફતેહખાં
- મહમદ બેગડાનું મૂળ નામ ફતેહ ખાન હતું. મહમદ બેગડાનું પૂરું નામ અબુલ ફત નસીર-ઉદ્દ-દીન મહમૂદ શાહ I હતું.
- મહમદ બેગડાએ જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું.
75. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો?
ઉત્તર: 15 ઓગસ્ટ, 1975
- ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ 1975માં પીજ ખાતેથી થયો હતો.
76. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી?
ઉત્તર: ધ્રોલ
- ભુચર મોરીની લડાઈને ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં ભુચર મોરીનું યુદ્ધ લડાયું હતું.
- ભુચર મોરીનું યુદ્ધ જુલાઈ 1591માં રાજા જામ સતાજીના નેતૃત્વ હેઠળ કાઠિયાવાડની સેના અને અકબરના સૂબા મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયું હતું.
77. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ શું હતું?
ઉત્તર: જાદી રાણા
- પારસીઓ ગુજરાતના સંજાણ બંદર પર આવ્યા હતાં.
78. સિંધુ સભ્યતાનું સ્થળ રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે?
ઉત્તર: સુકભાદર
- ઈ.સ. 1935માં ભારતના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (Archaeological Survey of India - ASI) દ્વારા એમ. એસ. વાત્સ ની આગેવાની હેઠળ અહીં ખોદકામ થયું હતું.
79. લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું છે?
ઉત્તર: માંડવી (કચ્છ જિલ્લો)
- ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ કચ્છમાં આવેલા માંડવી મુકામે થયો હતો. તેઓ ભાનુશાળી જેને ભણસાલી પણ કહેવાય છે તે કુટુંબમાં જન્મ્યા હતા.
- શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી.
- શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો.
80. બનાસ નદીનું પ્રાચીન નામ શું છે?
ઉત્તર: પર્ણાશા
- બનાસ નદી રાજસ્થા ન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ટેકરીઓમાંથી નીકળે છે અને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છતના નાના રણમાં મળી જાય છે.
- બનાસ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે બનાસ નદીને કુંવારીકા નદી તરીકે ઓળખાય છે.
- બનાસ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે.
81. અમદાવાદમાં રાણી સિપ્રીની મસ્જીદનું બાધકામ કરાવનાર રાણી સિપ્રી ક્યા સુલતાનની રાણી હતી?
ઉત્તર: મહમદ બેગડો
- રાણી સિપ્રીની મસ્જીદ, મસ્જીદ-એ-નગીના અને રાની અસ્નીની મસ્જીદ વગેરે નામોથી ઓળખાતી હતી.
- રાણી સિપ્રીની મસ્જીદનું નિર્માણ રાણી સિપ્રી દ્વારા 1514માં કરવામાં આવ્યું હતું.
82. અકબરના ગુજરાત વિજય બાદ કોની ગુજરાતના પ્રથમ મુઘલ સુબા તરીકે નિમણુંક કરવામા આવી હતી?
ઉત્તર: મીરઝા અઝીઝ કોકા
83. ગુજરાતની વિજયની યાદમાં અકબરે કયા સ્મારકનું નિર્માણ કરાવ્યું હતું?
ઉત્તર: બુલંદ દરવાજા
- બુલંદ દરવાજા અથવા વિજયનો દરવાજો, 1573 માં મુઘલ સમ્રાટ અકબર દ્વારા ગુજરાત પરના વિજયની યાદમાં બનાવડાવ્યો હતો.
- બુલંદ દરવાજા ફતેહપુર સિક્રી ખાતે જામા મસ્જિદનું મુખ્ય પ્રવેશદ્વાર છે.
84. આજવા ડેમનું નિર્માણ કઈ નદી પર કરવામાં આવ્યું છે?
ઉત્તર: વિશ્વામિત્રી
- આજવા ડેમ સયાજી સરોવર અથવા આજવા સરોવર અને આજવા નીમેટા તરીકે પણ ઓળખાય છે.
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરા શહેરની પાણીની જરુરિયાતને ધ્યાનમાં રાખીને આજવા સરોવરનું નિર્માણ કરાવડાવ્યું હતું.
- વિશ્વામિત્રી નદી પાવાગઢના ડુંગરમાંથી નિકળે છે.
- વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરા શહેર વસેલું છે.
85. “કંઠીના મેદાન “તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે?
ઉત્તર: કચ્છ
86. ગુજરાતનું નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર: મોરબી
- ઈ.સ. 1909માં વાઘજી ઠાકોરે નવલખી બંદરના વિકાસ માટે પ્રયત્નો કર્યા હતા. આ બંદરના વિકાસ માટે રાજ્ય સરકારને નવા લાખ રૂપિયાનો ખર્ચ થયેલ હોવાથી આ બંદરને નવલખી બંદર તરીકે ઓળખવામાં આવે છે.
87. સાબરમતી નદી ખંભાતના અખાતને જે સ્થળે મળે છે તે ખાડી કયા નામથી ઓળખાય છે?
ઉત્તર: કોપાલીની ખાડી
88. પાટણ જિલ્લાનો બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે?
ઉત્તર: વઢિયાર પ્રદેશ
- વઢિયાર નામનો પ્રદેશ પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આવેલો છે.
89. ગુજરાતના કયા જિલ્લામાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે?
ઉત્તર: દાહોદ
- ગુજરાત રાજ્યનો દાહોદ જિલ્લો સૌથી પૂર્વમાં આવેલો છે, આથી ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે.
- ગુજરાતમાં કચ્છ જિલ્લો સૌથી પશ્ચિમમં આવેલો છે, આથી કચ્છ જિલ્લામાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે.
- ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે. અરુણાચલ પ્રદેશ રાજ્યના અંજાવ જિલ્લાના ડોંગ ગામમાં સૌપ્રથમ સૂરજ ઉગે છે.
90. વિદેશી પ્રવાસી ટોલેમીએ કઈ નદીનો ઉલ્લેખ “મોફીસ”તરીકે કર્યો છે?
ઉત્તર: મહી નદી
91. ગુજરાતની વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા કેટલી છે?
ઉત્તર: 182
- ગુજરાતમાં લોકસભીની કુલ બેઠકોની સંખ્યા 26 છે.
- ગુજરાતમાં રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 11 છે.
92. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે?
ઉત્તર: કચ્છ
- કચ્છ જિલ્લો 406 કિ.મી. જેટલા લાંબા દરિયા કિનારા સાથે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે.
- ભારતના રાજ્યોમાં ગુજરાત રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે.
- વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે.
93. પ્રસિદ્ધ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર “ઇન્દ્રોડા પાર્ક (ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય)” ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર: ગાંધીનગર
- ઇંદ્રોડા પાર્ક ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે.
- ઇંદ્રોડા પાર્ક ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સાબરમતી નદીના કિનારે આવેલું એક અભ્યારણ્ય છે, જે 400 એકરમાં ફેલાયેલું છે.
- ઇંદ્રોડા પાર્કનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER) દ્વારા કરવામાં આવે છે.
94. જામનગરમાં આવેલા લાખોટા તળાવ અને લાખોટા કિલ્લો ક્યા રાજાએ બંધાવ્યા હતા?
ઉત્તર: રાજા જામ રણમલ
- લાખોટા તળાવ રણમલ તળાવ તરીકે પણ જાણીતું છે.
- 18મી સદીમાં રાજા જામ રણમલે લાખોટા કિલ્લો અને લાખોટા તળાવ બંને બંધાવ્યા હતા.
95. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એવું સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર: ડાંગ
- સાપુતારા એ ગુજરાત રાજ્યનું એકમાત્ર ગીરીમથક (હિલ સ્ટેશન) છે.
96. પારનેરાની ટેકરીઓ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?
ઉત્તર: વલસાડ
97. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?
ઉત્તર: વડોદરા
- મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ વિશાળ લક્ષ્મી વિલાસ પેલેસ એસ્ટેટની અંદર આવેલું, એક સંગ્રહાલય છે.
- મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ પ્રતિષ્ઠિત મરાઠા પરિવારની કલાકૃતિઓનું પ્રદર્શન છે. યુરોપીયન પુનરુજ્જીવન (European Renaissance) અને રોકોકો પેઇન્ટિંગ્સ (Rococo paintings), પોટ્રેઇટ્સ (Portraits), માર્બલ બસ્ટ્સ (Marble busts) અને રાજા રવિ વર્માના ચિત્રોનો સંગ્રહ (30 થી વધુ મૂળ પેઇન્ટિંગ્સ) સંગ્રહ આ મ્યુઝિયમમાં છે.
98. રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થળ કયુ છે?
ઉત્તર: ટૂંગા પર્વત
- મહેસાણા જિલ્લાના સતલાસણાનાં ટૂંગા પર્વતમાંથી રૂપેણ નદી નિકળે છે.
- રૂપેણ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
- ગુજરાતની બનાસ, સરસ્વતીઅને રૂપેણ નદીઓ સમુદ્રને મળવાને બદલે કચ્છના રણમાં સમાઈ જાય છે, એટલે તેને “કુંવારિકાઓ” અથવા અંત:સ્થ નદીઓ કહેવાય છે.
99. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી મુર્તિ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”નું નિર્માણ કયા બેટ પર કરવામાં આવ્યું છે?
ઉત્તર: સાધુ બેટ
- સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી.
100. સુરખાબનગર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
ઉત્તર: કચ્છ જિલ્લો
- સુરખાબનગર અભયારણ્ય ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સામાન્ય જ્ઞાન (General Knowledge)નું મહત્વ
ગુજરાત સરકારની ભરતી માટે યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exams)માં General Knowledge (GK) ખુબ જ મહતવી ભજવે છે. GPSC, ક્લાર્ક, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, નાયબ મામલતદાર, નાયબ સેકશન અધિકારી, મુખ્ય સેવિકા અને અન્ય તમામ સરકારી નોકરીની ભરતી પરીક્ષાઓ માટે General Knowledge (GK) અનિવાર્ય છે. General Knowledge પર મજબૂત પકડ હોવાથી ઉમેદવારોને પરીક્ષામાં સારો સ્કોર બની શકે છે અને સફળતા મળે છે.
100 General Knowledge Questions in Gujaratiની Free PDF ડાઉનલોડ કરો
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તમારી તૈયારીને સરળ બનાવવા માટે અમે અહીં General Knowledge Gujarati: Top 100 GK Questions with Answersની ફ્રિ PDF ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. General Knowledge Gujaratiની આ PDFમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજ્ય વ્યવસ્થા, સાંસ્કૃતિક વારસો વગેરે વિષયોના ખુબ જ ઉપયોગી GK પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રશ્નો GPSC, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, બિન સચિવાલય ક્લાર્ક અને ગુજરાત સરકારની નોકરીની પરીક્ષાઓની તૈયારી માટે ખુબ જ અગત્યના છે.
General Knowledge Gujarati: Top 100 GK Questions with Answersની ફ્રિ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા Download PDF બટન પર ક્લિક કરો:
To know more about Gujarat, Click Here